👉 240 વર્ષ પહેલાં પ્રકાશિત થયું ભારતનું પ્રથમ છાપું:
ભારતમાં યુરોપિયનોના પ્રવેશની સાથે જ સમાચારપત્રોની શરૂઆત થઈ હતી. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ લગાવવાનું શ્રેય પોર્ટૂગિઝને જાય છે. ગોવામાં ૧૫૫૭માં કેટલાક ખ્રિસ્તી પાદરીઓએ એક પુસ્તક છાપ્યું હતું, જે ભારતમાં છપાયેલું પ્રથમ પુસ્તક હતું. ૧૬૮૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી. ભારતનું પ્રથમ અખબાર બહાર પાડવાનું શ્રેય જેમ્સ ઓગસ્ટસ હિકી નામના અંગ્રેજને મળેલું છે, જેણે ૧૭૮૦માં ‘બંગાલ ગેઝેટ’નું પ્રકાશન કર્યું હતું.
એટલે કે ભારતમાં સમાચાર પત્રોનો ઈતિહાસ ૨૩૨ વર્ષ જુનો છે. કંપની સરકારની ટીકાને કારણે ‘બંગાલ ગેઝેટ’ જપ્ત કરી લેવાયું હતું. કોઈ ભારતીય ભાષામાં પ્રકાશિત થનારું પ્રથમ અખબાર માસિક ‘દિગ્દર્શક’ હતું, જે ૧૮૧૮માં પ્રકાશિત થયું હતું. ભારતનું સૌથી પહેલું મુખ્ય સમાચારપત્ર ‘સંવાદ કૌમુદી’ હતું. આ સાપ્તાહિક પ્રકાશન ૧૮૨૧માં શરૂ થયું હતું અને તેના તંત્રી સમાજ સુધારક રાજા રામમોહન રાય હતા. ‘સંવાદ કૌમુદી’ના પ્રકાશનની સાથે જ સૌથી પહેલાં ભારતીય નવજાગરણમાં સમાચારપત્રોના મહત્વ પર લખવામાં આવ્યું હતું.
રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો.
બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી.
ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઇસવીસન ૧૮૨૨ ફારસી ભાષામાં મિરાત-ઉલ-અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા.
તેઓ માત્ર મહિલા અધિકારના પ્રણેતા ન હતા. તેમણે ભારતીય ધર્મમાં એકેશ્વરવાદ સ્થાપવા પ્રયાસ કરેલો. બ્રહ્મો સભાની સ્થાપના કરી અને તેમાંથી આજનો બ્રહ્મો સમાજ બન્યો. સામાજિક સુધારણાના પોતાના વિચારોનો ફેલાવો કરવા તેમણે ફારસીમાં ‘મિરાત-ઉલ-અકબર’ અને બંગાળીમાં ‘સંવાદ કૌમુદી’ નામના સમાચાર પત્રો પણ શરૂ કર્યા હતા. તેમણે પૂર્વ અને પશ્ચિમની તાલીમનો સમન્વય સાધીને બંનેના સારા પાસાઓ અંગીકાર કરેલા. બંને સંસ્કૃતિઓએ એકબીજા પાસેથી ઘણું શીખવાનું છે એવું તેમણે પોતાના લખાણોમાં સ્પષ્ટ કર્યું છે.
એક રાજનેતા, શિક્ષણવિદ્ તથા સમાજ સુધારક રાજા રામમોહન રાયનું અવસાન મેનિન્જાઈટિસ બીમારીથી સ્ટેપલટનમાં થયેલું જે બ્રિસ્ટોલમાં આવેલો એક વિસ્તાર છે. ત્યાંથી તેમનો મૃતદેહ અરનોસ વાલે સીમેટરીમાં ખસેડાયેલો. તેમના સમાધિસ્થાને સુંદર છત્રી અને સ્મારક બનાવાયેલું છે. ત્યાં રાજા રામમોહન રાયની પ્રતિમા પણ છે. રાજાજીની એક લાઈફ-સાઈઝ પ્રતિમા સીટી હોલના મેદાનમાં અને એક કાંસ્ય પ્રતિમા સીટી હોલમાં પણ રાખવામાં આવેલી છે. શ્રીમતી કાર્લા કોન્ટ્રાક્ટરના પ્રયત્નોથી આ પ્રતિમાઓ કલકત્તાથી બનાવડાવીને મંગાવાયેલી છે અને તે બ્રિસ્ટોલ શહેરમાં માનદ્ સ્થાન પામી છે.
રાજા રામમોહનરાયે વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવા, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યકિત સ્વાતંત્ર્ય આપવા, ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા તેમજ સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવા બ્રિટિશ સરકારને ભલામણ કરી. તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને તેની પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો...
આમ, રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. આથી તેમને ભારતના સર્વાંગી સુધારાના “પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.
દિલ્લીના મુઘલ બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયે ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. ઇ.સ. ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું....
🎯 ઇતિહાસ
વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં રોમથી થઇ હોવાનું માનવામાં આવે છે. ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” (દિવસની ઘટનાઓ ) હતું. ખરેખર તો એ એક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં આવતાં હતાં. આ પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં આવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં આવતી હતી.
ઇ.સ.ની ૧૫મી સદીનાં મધ્યભાગમાં છાપકામ માટેના યાંત્રિક સાધનોની શોધ થઇ. તેનાથી પુસ્તકો અને વર્તમાનપત્રોનું પણ પ્રકાશન કરવું શક્ય બન્યું. યુરોપનાં સ્ત્રાસબુર્ગ શહેરમાં કારોલૂસ નામનો ધનવાન વ્યક્તિ હાથથી લખેલા સૂચનાપત્રો પ્રકાશિત કરતો હતો. ઇ.સ. ૧૬૦૫માં તેણે છાપકામ યંત્ર ખરીદીને વિશ્વના સૌ પ્રથમ મુદ્રીત સમાચારપત્રની શરુઆત કરી જેનું નામ રિલેશન હતું.
ભારતમાં પ્રાચીનકાળમાં ઢંઢેરો પીટીને લોકો સુધી સમાચારો પહોચાડવાની પ્રથા હતી. પાછળથી ભીંતપત્રો શરું થયા. સૌપ્રથમ મુદ્રીત સમાચારપત્ર ઇ.સ. ૧૭૭૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપની વતી તત્કાલીન અધિકારી વિલેમ બોલ્ટસે શરું કર્યું હતું. પાછળથી સમાચારપત્રોનો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ પણ નવજીવન પત્ર શરું કર્યું હતું. જેણે આઝાદીની લડત અને સમાજોત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇ.સ. ૧૭૭૦થી આઝાદી સુધીનો સમય પત્રકારત્વ માટે ઘણો જ સંઘર્ષપૂર્ણ રહ્યો છે. ૧૯૭૦ પછી કેટલાક સમાચારપત્રો શરું થયાં જે મુખ્યત્વે અંગ્રેજીમાં હતા અને સરકારની વાહ વાહ કરતાં મુખપત્રો હતા. સરકારની આલોચના કરતાં પત્રો સામે કડક પગલા લેવાતા હતા. સૌપ્રથમ ભારતીય ભાષામાં સમાચારપત્ર બંગાળીમાં રાજા રામમોહન રાય દ્વારા ઇ.સ. ૧૮૧૯માં સંવાદ કૌમુદી પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું પ્રથમ સમાચારપત્ર મુંબઇ સમાચાર ઇ.સ. ૧૮૨૨માં પ્રકાશિત થયું. તે આજે પણ વિદ્યમાન છે.
🎯 સ્ત્રીબોધ એ ગુજરાતી ભાષામાં માસિક જર્નલ / મેગેઝિન હતું. 1857 માં સમાજ સુધારકોના જૂથ દ્વારા સ્થાપિત, જર્નલ એ ભારતના મહિલા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને પ્રારંભિક સામયિકમાંનું એક હતું...
સ્ત્રી શિક્ષાના સુધારણા અને સ્ત્રી ઘરેલુ જીવનની એકંદર ગુણવત્તા સુધારવામાં સહાય માટે આ સામયિક શરૂ કરવામાં આવ્યું હતું. સામાજિક સુધારણા માટેની હિમાયત લગભગ ગેરહાજર હતી, જે લોકોની માન્યતાથી વિપરીત છે. તે મુખ્યત્વે ઉચ્ચ અને મધ્યમ વર્ગની મહિલાઓને વિક્ટોરિયન નૈતિકતાના તે પછીના પ્રચલિત ધોરણોને અનુરૂપ બનાવવા માટેના માધ્યમ તરીકે જોવામાં આવે છે....
1952 માં તેનું પ્રકાશન બંધ થઈ ગયું.
1857 થી 1863 સુધી, સામાયિક બેહરમજી ગાંધી, સોરાબાજી શાપુરજી, કરસનદાસ મૂળજી, મંગલદાસ નાથુભોય અને નાનાભાઇ હરિદાસે સંયુક્ત રીતે સંપાદિત કર્યા. કરસનદાસ 1865 થી 1867 દરમિયાન સંપાદક હતા; ત્યારબાદ, કે.એન. 1904 માં મૃત્યુ સુધી કબરા આ પદ પર રહ્યા. પાછળથી તેની પુત્રી સિરીન (જે સંભવત (ગુજરાતની પ્રથમ સ્ત્રીરોગવિજ્ઞાનક હતા) દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, તેમની પુત્રવધૂ પુતળીબાઈ જહાંગીર કબારાજીએ પદ સંભાળ્યા પહેલા. 1941 માં પુતળીબાઈનાં અવસાન પછી, કેશવપ્રસાદ દેસાઇ (જે પહેલાથી જ છેલ્લા કેટલાક વર્ષોથી પુતળીબાઈ સાથે સામયિકનું સહ-સંપાદન કરી રહ્યા હતા) એ આખો વ્યવસાય અને સંપાદન સંભાળ્યું.
🎯 મુદ્રણ માધ્યમ
મુદ્રણ કરીને પ્રકાશિત કરવામાં આવતાં હોય તેવા તમામ પ્રકારના પત્રો/પત્રિકાઓનો આ માધ્યમ હેઠળ સમાવેશ થાય છે. વર્તમાનપત્રો અને સામયિકો સામાન્ય રીતે દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક, છ માસિક અને વાર્ષિક સમયસારણીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય વર્તમાનપત્રો ઉપરાંત સ્થાનિક કક્ષાએથી પ્રસિદ્ધ થતાં પત્રો લોકો માટે જીવનક્રમનો એક ભાગ બની ગયાં છે. પ્રાચીન સમયમાં બીબા ઢાળવા અને અને અક્ષરોને ગોઠવવાનું કામ ઘણું અટપટું હતું. મુદ્રણ ક્ષેત્રે થયેલી આધુનિક શોધોના કારણે હવે ઝડપી, રંગારંગી, સુઘડ છાપકામ શક્ય બન્યું છે.
📌 જાણીતા પત્રકારો
👉 ગાંધીજી
👉 મદન મોહન માલવીય
👉 રાજા રામમોહનરાય
👉 ભગવતીકુમાર શર્મા
👉 લોકમાન્ય ટિળક
👉 જયન્ત પાઠક
👉 બચુભાઇ રાવત
👉 ઈન્દુલાલ ગાંધી
👉 મહાદેવભાઈ દેસાઈ
👉 કાકાસાહેબ કાલેલકર
👉 બાલમુકુન્દ દવે
👉 કુમારપાળ દેસાઈ
👉 ચુનીલાલ વૈદ્ય
👉 કૃષ્ણલાલ શ્રીધરાણી
👉 કાંતિ ભટ્ટ
👉 ધનવંત ઓઝા
👉 જુલિયન અસાંજે
👉 મહાશ્વેતા દેવી
👉 દિગંત ઓઝા
29 જાન્યુઆરી ભારતીય પત્રકારત્વમાં એક વિશેષ દિવસ છે. આ જ દિવસે 1780માં દેશના પ્રથમ અખબાર હિક્કી દ્વારા બંગાળ ગેઝેટનું પ્રકાશન કલકત્તા જનરલ એડવર્ટાઇઝરથી શરૂ
થયું હતું.
ભારતનું પહેલું અખબાર જાન્યુઆરી 29, 1780ના રોજ પ્રકાશન શરૂ થયું હતું. હિકીના બંગાળ ગેઝેટ (મૂળ કલકત્તા જનરલ એડવર્ટાઈઝર) એ ઇંગ્લીશ ભાષાનું ચાર પાનાનું સાપ્તાહિક અખબાર હતુ જે કોલકાતામાં પ્રકાશિત થયુ (તે પછી કલકત્તા), બ્રિટિશ ભારતની રાજધાની. બંગાળ ગેઝેટની સ્થાપવામાં જેમ્સ ઓગસ્ટ્ન હિકી દ્વારા આવી હતી. હિકી ભારતના પહેલા પત્રકાર હતા જેમને પ્રેસની સ્વતંત્રતા માટે બ્રિટિશ સરકાર સાથે સંઘર્ષ કર્યો હતો.
બંગાળ ગેઝેટ બે વર્ષ માટે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે એશિયામાં મુદ્રિત પ્રથમ અખબાર હતુ. તે સમયના અખબાર ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સના વહિવટી તંત્રના મજબૂત ટીકાકાર હતા. તે તેના ઉત્તેજક પત્રકારત્વ માટે સમય જતાં પહેલાં અને ભારતની મુક્ત અભિવ્યક્તિની લડાઈ માટે અગત્યનું હતું.
હિક્કીએ ડર્યા વગર અખબારના માધ્યમ ભ્રષ્ટાચાર અને બ્રિટિશ શાસનની ટીકા કરી. બ્રિટિશ સરકાર સામે લખવાનું દુસ્સાહસનું પરિણામ એ આવ્યું કે હિક્કીને દેશ છોડવો પડ્યો. બ્રિટિશ શાસનની ટીકા કરવાના કારણે બંગાળ ગેઝેટને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. 23 માર્ચ 1782ના રોજ સમાચારપત્રનું પ્રકાશન બંધ થઇ ગયું. આ રીતે ભારતમાં મુદ્રિત પત્રકારત્વ શરૂ કરવાનો શ્રેય હિકીને જ જાય છે.
ભારતમાં આ પ્રથમ અખબાર ‘હિક્કીનું બંગાળ ગેઝેટ અથવા કલકત્તા જનરલ એડવર્ટાઇઝર’ સાપ્તાહિક પત્ર હતું....
©️®️
🎯 Writer : Prof.Dr.Vaibhavi Trivedi
🎯 Matusri Shantaben arts College
👉 Image courtesy : Google
👉 Notice📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....
No comments:
Post a Comment